Skip to main content

પ્રાણાયામ એટલે શું

ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ

છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
 

કબજિયાતના રોગનો યોગ વડે ઈલાજ

કબજિયાત માત્ર શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. કબજિયાત રહેવા માટેનાં ઘણાં કારણો હોય છે. જેવી રીતે કે માનસિક તણાવ, જમવામાં અનિયમિતતા, જીવનશૈલીની અનિયમિતતા, ફળ, શાકભાજી, પાણી વગેરેનો ઉપયોગ ઓછો હોવાથી. મોડી રાતે સુવાનું, સવારમાં ચાલવાનું, એક્સરસાઈઝ, યોગ અને વ્યાયામ વગેરે જીવનમાં નહીં કરાતા હોવાથી સમસ્યા થાય છે. કબજિયાતના યોગિક ઉપાયો છે, તેને માટે નીચે મુજબ યોગાભ્યાસ કરવો.

પ્રાણાયામના પાયાના નિયમો

પ્રાણાયામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

સ્થળઃ

જ્યાં પ્રાણાયામ કરવા બેસો તે સ્થળ શાંત, જીવાણુ કે મચ્છર-ધૂળ-ગંદકી વિનાનું સ્વચ્છ હોવું જોઈએ. બહુ ઊંચું કે નીચું નહીં પણ સમતલ હોવું જોઈએ. ઓછામાં ઓછું પાંચ ફૂટના અંતરમાં કશું જ આસપાસ ન હોવું જોઈએ. એને માટે નીચેની જગ્યાઓ શ્રેષ્ઠ ગણી શકાયઃ (અ) નદીના સંગમ પર (બ) પર્વતની તળેટી, ગુફાઓ(ક) ગાઢાં લીલાં જંગલ (ડ) સરોવર કાંઠે આવેલ બાગ-બગીચા-ઉદ્યાન. જો આ સગવડ ઉપલબ્ધ ન હોય તો બારીઓ સાથે સ્વચ્છ અને શાંત ઓરડો કે ઘરનો એકાંત ઓરડો પણ ચાલે.

 

પ્રાણાયામનું ઇવોલ્યુન

બૌદ્ધયાન-ધર્મસૂત્ર, ગૌતમ-ધર્મસૂત્ર અને સત્ય-સાધશ્રુતા સૂત્રથી એ જોવામાં આવ્યું છે કે પ્રાણાયામની પ્રેક્ટિસ એ કેવળ કેટલીક ધાર્મિક વિધિઓનો ભાગ હતો. આ સૂત્રોથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણાયામ શબ્દ માત્ર અભ્યાંતર કુંભક માટે વપરાતો હતો, ત્યારે પૂરક કે રેચક કશું ન હતું. .

આ સૂત્રો મુજબ શ્વાસ રોકવાની શારીરિક ક્ષમતા ઘટે નહીં ત્યાં સુધી કુંભક જાળવી રાખવાનો રહેતો. બીજો મુદ્દો એમણે એ ઉલ્લેખ કર્યો છે તે છે શ્વાસ મંત્રના રટણ સાથે રોકવો. આ રીતે પ્રાણાયામનું ઇવોલ્યુએશન આવ્યું.