થાઇરોઇડ માટે પ્રાણાયામ અને શવાસન ઉપયોગી નીવડે

થાઇરોઇડને ગલગ્રંથિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગલગ્રંથિ એરકન્ડિશનની જેમ કામ કરે છે. જ્યારે શરીરની મેટાબોલિક ક્રિયાઓ વધારે કામ કરતી હોય છે ત્યારે આ અંત:સ્રાવ શરીરમાં ઓછા થાય છે ત્યારે તેમની ક્રિયાઓનું સંતુલન તથા પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય આ અંત:સ્રાવ ગલગ્રંથિ થાઇરોઇડ કરે છે. .

યોગાસનો શીખતાં પહેલાં આટલું જાણી લો

યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, પણ જો યોગાસનો ખોટી રીતે કરવામાં આવે તો શરીરને હાનિ પહોંચવાની પૂરી શક્યતા છે. માટે આસનો શીખતાં પહેલાં થોડી અગત્યની જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે.

સૌપ્રથમ તો એ યાદ રાખો કે આસનો કરતી વખતે સુખ એટલે કે કમ્ફર્ટનો અનુભવ થાય તે બહુ જરૂરી છે. આસનો શરીર પર બળપ્રયોગ કરીને નહીં, પણ મિનિમમ એફર્ટ સાથે કરવાના હોય છે. શરૂઆતમાં શરીર સ્ટીફ હોય છે, પણ આસનોની પ્રેકટિસ કરતાં કરતાં તેમાં ફ્લેક્સિબિલિટી આવે છે. એટલે શરૂઆતમાં શરીર જેટલું વળે તેટલું જ વાળવું. સ્નાયુઓ પર બહુ દબાણ ન આપવું.

પેટની પેઇનફુલ બીમારી પેપ્ટીક અલ્સરને યોગથી ભગાડો

પેપ્ટીક અલ્સર એટલે પેટ કે આંતરડાના અગ્રમાં કે ગ્રહણીમાં થયેલું વ્રણ કે ગૂમડું. પેપ્ટિક એટલે પાચનને લગતું અને અલ્સર એટલે ગાંઠ જેવું ગૂમડું. અલ્સર બે પ્રકારના હોય છે.

  • ગેસ્ટ્રીક અલ્સર અને
  • ડ્યુડેનલ અલ્સર. ગેસ્ટ્રીક અલ્સર આમાસયની દીવાલ પર થાય છે. જ્યારે ડ્યુડેનલ અલ્સર આમાસયની સાથે આંતરડાના ઉપરના ભાગમાં થાય છે.

 

જીવલેણ કેન્સરને યોગવિદ્યા કરે છે કેન્સલ

કેન્સર આધુનિક જીવનની સૌથી મોટી અને જીવલેવા કે જીવલેણ બિમારી ગણાય છે. આ બિમારીથી સમાજના દરેક વર્ગ પછી તે અમીર હોય કે ગરીબ જીવ જતા હોય છે. દેશમાં હજારો લોકો આ બિમારીનો ભોગ બને છે.
કેન્સર અનિયમિત કોષિકાઓના વિભાજનની પ્રક્રિયા છે, જે ગાંઠ રૂપે વિસ્તાર પામે છે અને કેન્સરનું રૂપ ધારણ કરે છે.
તમાકુ, શરાબ, ચરબીયુક્ત ભોજન, ખાદ્ય રસાયણ, વધારે તાપ, પ્રદૂષણ, શારીરિક ઈજા, દવાનું વધારે પડતું સેવન, વિષાણુ કે જીવાણુની પ્રતિક્રિયા, તનાવ કે વારસાગત કારણોસર કેન્સર થાય છે.
 

કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ અને યોગ

યોગ એક વિજ્ઞાન છે એટલે એ માત્ર આસનો નથી.. આપણે જોઈએ કે કઈ રીતે યોગ કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
 

યોગ અને ઓર્થોપેડિક રોગો.

યોગ ઢીંચણનો દુખાવો, કરોડરજ્જુની તકલીફો, ગરદન, ખભા તેમ જ ગ્રોઈનના સ્ટિફ સ્નાયુઓ ઉપરાંત અયોગ્ય રીતે બેસવા-ઊઠવાની રીતને કારણે વાસ્કયુલર ઇન્સફીશ્યન્સી જેમ કે વર્ટીગો, ગીડ્ડીનેસ, ક્યારેક ટીનીટસ, (કાનના ઇનર કોરમાં રીન્ગીંગ સેન્સેશન), દુખાવો જેવા ઓર્થોપેડિક રોગમાંથી રીકવર થવામાં મદદ કરશે.

 

ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ

છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
 

યોગ-ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેંટ

યોગનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. 21 જૂનનો દિવસ હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, જેને આજે દુનિયાના મોટા ભાગના દેશો અપનાવી ચૂક્યા છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી, જેમાં આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે.

યોગથી સંપૂર્ણ આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.

લાઈફસ્ટાઈલ ડિસિઝના ઉપચારમાં યોગનું મહત્ત્વ

પ્રત્યેક જીવ બદલાતાં વાતાવરણ અને સંજોગો સાથે અનુકૂલન મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. જો આ અનુકૂલન જળવાય તો જ જીવન ટકે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો પ્રિંસિપલ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ બાબત પૂરવાર કરી ચૂક્યા છે. પ્રત્યેક કોષમાં ચાલતી નાની-મોટી જૈવરાસાયણિક ક્રિયાઓ જીવનને ટકાવવા માટેનો અવિરત પ્રયાસ છે. જીવની ઉત્પત્તિ બાદ સાહજિક રીતે થતી આ કુદરતી ક્રિયાઓ હોય છે. જેના પરિણામે તરતનું જ જન્મેલું પ્રાણી, જીવાત કે બાળક શ્વસન કરે છે. ખોરાક-પોષણ મેળવવા પ્રયત્ન કરે છે. બહુ જ નિમ્ન સ્તરે જીવાતા જીવનમાં કોષોનો વિકાસ-પોષણ આંતરકોષીય પ્રક્રિયાથી થયા કરે છે. માનવ જીવન ઉચ્ચકક્ષાએ જીવાતું જીવન છે.

નારીની મૂંઝવણ અનિયમિત માસિક ચક્ર, યોગથી નિયંત્રિત થાય તરત

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક સારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય, ન કહેવાય એવી હોય છે. સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં અનિયમિત માસિક આવવાની વ્યાધિ ઘણી પરેશાનીરૂપ છે. આધુનિક જીવનશૈલીના ખાવા-પીવાનું, રહેવાનું, ચિંતા, વિહારને કારણે આધુનિક સ્ત્રીઓમાં આ પ્રકારના રોગ વધારે થાય છે. સામાન્ય આદિકાળમાં સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ જીવનમાં ક્યારેક ને ક્યારેક પ્રભાવિત થાય છે. યોગથી આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આદરણીય સ્વરૂપની કરી શકાય છે, કારણ કે યોગ કેવળ શારીરિક નહીં પરંતુ મનોભાવનાત્મક સ્તર સુધી પ્રભાવદાર છે. એની કોઈ સાઈડ ઈફેક્ટ (વિપરીત અસર) થતી નથી.

“योग विज्ञान है” – ओशो

 योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग का इस्लाम, हिंदू, जैन या ईसाई से कोई संबंध नहीं है। 

जिन्हें हम धर्म कहते हैं वे विश्वासों के साथी हैं। योग विश्वासों का नहीं है, जीवन सत्य की दिशा में किए गए वैज्ञानिक प्रयोगों की सूत्रवत प्रणाली है। इसलिए पहली बात मैं आपसे कहना चाहूंगा वह यह कि  योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग के प्रयोग के लिए किसी तरह के अंधेपन की कोई जरूरत नहीं है।

नास्तिक भी योग के प्रयोग में उसी तरह प्रवेश पा सकता है जैसे आस्तिक। योग नास्तिक-आस्तिक की भी चिंता नहीं करता है। विज्ञान आपकी धारणाओं पर निर्भर नहीं होता; विपरीत, विज्ञान के कारण आपको अपनी धारणाएं परिवर्तित करनी पड़ती हैं। कोई विज्ञान आपसे किसी प्रकार के बिलीफ, किसी तरह की मान्यता की अपेक्षा नहीं करता है। विज्ञान सिर्फ प्रयोग की, एक्सपेरिमेंट की अपेक्षा करता है।