આસન: હેતુ અને લાભ

આસનઃ કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો, તે આસન કહેવાય.

આસનમાં બે એટિટ્યૂડ હોય છેઃ

  1. ફિઝિકલ-શારીરિક-એટિટ્યૂડ
  2. મેન્ટલ-માનસિક –એટિટ્યૂડ

ફિઝિકલ એટિટ્યૂડઃ વિવિધ સ્પેસીઝ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ-સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટિટ્યૂડ કહે છે જેમ કે પદ્માસન-લોટસ પોશ્ચર.

મેન્ટલ એટિટ્યૂડઃ એ માનસિક સ્થિતિને  અનુલક્ષીને છે. જેમ કે જો તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે.

 

આસન અંગે પતંજલિના સિદ્ધાંતોઃ

 

કપોતાસન

કપોત એટલે કબૂતર અથવા હોલો. કપોતાસન એ જાણે કોઈ કબૂતર પોતાની છાતી ફુલાવતું હોય એવું, અનાહત ચક્રને ખોલનારું અદ્ભુત આસન છે.

આકર્ણ ધનુરાસન

આકર્ણ ધનુરાસનને આર્ચર્સ પોઝ પણ કહે છે, ધનુષ્ય-બાણ પોઝ કહે છે. આ એવું આસન છે જે એક ધનુર્ધારી બાણ છોડવાની તૈયારીમાં છે તે મુદ્રા દર્શાવે છે. કર્ણ એટલે કાન. ‘આ’ એ પ્રીફિક્સ છે જેનો અર્થ છે એની નજીક.

અર્ધહલાસન અને કર્ણપીડાસન

રીત:

  • શવાસનમાં સૂઈ જાવ.
  • સર્વાંગાસન કરો અને તેમાં પગ તમારા માથા પાછળ લેતાં હલાસન કરો.
  • હલાસનમાં શ્વાસ નોર્મલ અને નેચરલ રીતે લો. થોડાક શ્વાસ લેવા સુધી હલાસનમાં રહો અને એક વાર કમ્ફર્ટેબલ લાગે, એટલે એક પગ ઢીંચણમાંથી વાળીને કાનને સ્પર્શ કરાવો.

દોલાસન

સંસ્કૃત શબ્દ દોલ એટલે ઝૂલવું અથવા લોલકની માફક લટકવું. એટલે આ આસનને સ્વિંગિગ પોઝ-ઝૂલાસન કે પેન્ડ્યુલમ પોઝ કહે છે.

ગર્ભપિંડાસન

પિંડ એટલે અંગ્રેજીમાં ફીટસ-ભ્રૂણ. આ આસનમાં શરીરનો આકાર ગર્ભમાં રહેલ ભ્રૂણ જેવો દેખાય છે એટલે તે શબ્દશઃ ગર્ભમાં રહેલ ભ્રૂણની મુદ્રા કહેવાય છે.
આ આસન જે લોકો પદ્માસનમાં બેસે છે અને પાતળા પગ તથા હાથ છે તેઓ સરળતાથી કરી શકે છે.
 

પીંછ મયૂરાસન

પીંછ મયૂરાસનને પીકોકફેધર પોઝ પણ કહે છે. સંસ્કૃતમાં પિચ્છ એટલું પીંછું અને મયૂર એટલે મોર. આ પીંછ મયૂરાસન પીંછા ફેલાવેલ મયૂર અથવા કળા કરતા મોર જેવો દેખાવ આપે છે એટલે તેને પીંછ મયૂરાસન કહેવામાં આવે છે.

અધોમુખ વૃક્ષાસન

અધોમુખ એટલે નીચું મોઢું હોવું. વૃક્ષ એટલે ઝાડ. આખી ય મુદ્રા આખાય હાથના સંતુલનના આધારે છે.

  • શરૂઆતમાં દીવાલનો સહારો લેવો અને તે પછી આસનની પ્રેક્ટિસ કરવી.
  • જો કોઈ સહારા વિના પ્રેક્ટિસ કરતા હોવ તો આજુબાજુની સલામતી ચકાસી લેવી જેથી કદાચ પડો તો પણ વાગે નહીં.

રીત:

ઉષ્ટ્રાસન

અભયાસ્ય સેતે પાદયોગમ્ અવ્યસ્તમ્ પ્રસ્થે, નિધયાऽપિધ્રતમ્ કરાભ્યામ્ આકુંચયેત સમ્યગ્ઉદારીયગાધમ્ ઔસ્ત્રમ્ કા પિઠમ્ યોગિનો વદંતિ.

અર્થાત્

વિદ્યાર્થી (તેની બેઠક પર) આડો પડે છે. મોઢું નીચેની તરફ હાથમાં રાખી પગની આંટી મારી પાછળની બાજુ ઝૂકે છે અને તેનું મોઢું અને પેટ વિગરસલી સંકોચાય છે. યોગીઓ એને ઉષ્ટ્રાસન કે કેમલ પોઝ કહે છે.

 

ઉષ્ટ્રાસનના નામની વિશેષતાઃ

એ સમજાવવું અઘરું છે કે શા માટે આને ઉષ્ટ્રાસન કહે છે. સંસ્કૃત સાહિત્યમાં ઊંટનું વર્ણન કુરુપતાના નમૂના તરીકે થયું છે. પણ ખરેખર આ આસનમાં કુરુપ અથવા તો કદરૂપો ભાગ કેવળ સંકોચાયેલ મોં છે.

સંકટાસન

વામપદમ્ સિતરમૂલમ્ સંન્યાસા ધરણીતલે પાદાન્દેના યમ્યેનઃ વેસ્તાયેત્ વામાપાદકમ્ જાનુયુગ્મે કરયુગમ્ એતત્ સંકટાસનમ્.એટલે કે
ડાબો પગ એની એડી સાથે જમીન પર મૂકી જમણા પગ વડે વર્તુળ પૂરું કરવું અને હાથ વિરુદ્ધ દિશાના ઢીંચણો પર મૂકવા (જમણા પર ડાબો અને ડાબા પર જમણો). આ અઘરી મુદ્રા છે.
આ મુદ્રાને સંકટાસન કહે છે કેમ કે એ ધારણ કરવું મુશ્કેલ છે અને ટેકનિક જોતાં ધારણ કરી રાખવું પણ અઘરું છે. સંસ્કૃતમાં સંકટ એટલે જ તકલીફ, અઘરી બાબત.

“योग विज्ञान है” – ओशो

 योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग का इस्लाम, हिंदू, जैन या ईसाई से कोई संबंध नहीं है। 

जिन्हें हम धर्म कहते हैं वे विश्वासों के साथी हैं। योग विश्वासों का नहीं है, जीवन सत्य की दिशा में किए गए वैज्ञानिक प्रयोगों की सूत्रवत प्रणाली है। इसलिए पहली बात मैं आपसे कहना चाहूंगा वह यह कि  योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग के प्रयोग के लिए किसी तरह के अंधेपन की कोई जरूरत नहीं है।

नास्तिक भी योग के प्रयोग में उसी तरह प्रवेश पा सकता है जैसे आस्तिक। योग नास्तिक-आस्तिक की भी चिंता नहीं करता है। विज्ञान आपकी धारणाओं पर निर्भर नहीं होता; विपरीत, विज्ञान के कारण आपको अपनी धारणाएं परिवर्तित करनी पड़ती हैं। कोई विज्ञान आपसे किसी प्रकार के बिलीफ, किसी तरह की मान्यता की अपेक्षा नहीं करता है। विज्ञान सिर्फ प्रयोग की, एक्सपेरिमेंट की अपेक्षा करता है।