Skip to main content

શલભાસન

शलभासन

શલભ એટલે ટીકડું. આ આસનની સ્થિતિ તીડ જેવી દેખાય છે. તેથી આ આસનને શલભાસન કહેવામાં આવે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું એક હળવું રૂપ શોધાયું છે તેને અર્ધ શલભાસન કહે છે. આ આસનને એક પગે વારાફરતી કરવામાં પણ આવે છે જેને અર્ધ શલભાસન કહેવામાં આવે છે. તે સહેલું હોઈ બધા જ કરી શકે છે.
આ આસન ભુજંગાસનનું પૂરક છે. ઘેરંડ સંહિતામાં શલભાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 

આસન કરવાની રીત

  1. જમીન પર બ્લેન્કેટ પાથરો.
  2. જમીન પર ચહેરો નીચે રહે તેમ સપાટ સૂઈ જાવ.
  3. તમારા પગ સીધા અને ભેગા રાખો જેમાં પાનીઓ ઉપરની તરફ ચીંધતી હોવી જોઈએ.
  4. આર્મ્સ (બાહુઓ) શરીરની બાજુમાં અથવા શરીરની નીચેની તરફ રાખવા. એમાં પંજા નીચેની તરફ, ઉપરની તરફ અથવા મૂઠી વાળેલા રાખવા. હાથ અને બાહુઓની સ્થિતિની પસંદગી પ્રેક્ટિશનર પર છોડી દેવી.
  5. હડપચી(ચિન) જમીનને સ્પર્શીને રાખવી.
  6. ખભાઓ જમીનથી શક્ય એટલા નજીક રાખવા અને એ રીતે જ આસન દરમિયાન રાખવા.
  7. આખાય શરીરને રિલેક્સ કરો, આંખો બંધ કરો અને શ્વાસ લો.
  8. તે પછી બંને પગ ઊંચા કરવા, તેમને જોડેલા અને ટટ્ટાર રાખવા.
  9. આખરી મુદ્રા શક્ય થાય ત્યાં સુધી ધારણ કરી રાખો.
  10. 10.  તે પછી ધીમે ધીમે પગ નીચે લાવો અને ઉચ્છવાસ કાઢો.
  11. 11.  થોડી વાર માટે આરામ કરો.

 

મર્યાદાઓઃ

આ આસન બીજા આસનોની તુલનાએ વધારે શારીરિક પ્રયાસો માગી લે છે. જે લોકોને કોરોનરી થ્રોમ્બોસિસ કે હાઇ બ્લડસુગર અને હાઇ બ્લડપ્રેશર હોય તેમણે પ્રેક્ટિસ કરતા યોગશિક્ષકની હાજરીમાં કરવું.

જો હર્નિયા, પેપ્ટિક અલ્સર, આંતરડાનો ટી.બી. કે બીજા કશાથી પીડાતા હોય તેમણે આ જાતે ન કરવું.

 

લાભઃ

  1. શલભાસન આખાય ચેતાતંત્ર એટલે કે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમને ખાસ કરીને પેરાસિમ્પેથેટિકલી આઉટફ્લોને સ્ટિમ્યુલેટ કરે છે.
  2. શરીરનાં વિવિધ અંગોનાં ઇક્વિલિબ્રિયમને જાળવે છે, સાધારણ રીતે સિમ્પેથેટિક સિસ્ટમ શરીરની ઊર્જાને બહુજ ડિરેક્ટ કરે છે.
  3. એ શરીરને ઇમર્જન્સીનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
  4. ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમને કાર્યક્ષમ રાખવાની જરૂર છે.
  5. પેટનાં તમામ અંગોને મસાજ થાય છે.
  6. પેટ પર આવતું દબાણ શરીરના વજનને કારણે હોઈને વાઇટલ અંગોના કામમાં સુધારો થાય છે.

 

આસન કરતી વખતે યાદ રાખવાના મુદ્દાઃ

  • ખભા જમીનથી શક્ય એટલા નજીક રાખવા.
  • પ્રેક્ટિસ દરમિયાન હડપચી(ચિન)ને જમીનના સંપર્કમાં રાખવી.
  • જ્યારે પગ ઊંચા હોય ત્યારે ટટ્ટાર રાખવા.
  • પેટને શરીરનું મોટા ભાગનું વજન ઝીલે તે રીતે રાખો.

 

ટિચર્સ ટિપ્સઃ

રોજિંદા જીવનમાં આપણા મગજમાં ઘણા બધા આઇડિયાઝ આવતા હોય છે. દરરોજ આપણે કંઈક વિચારીએ છીએ અને કંઈક જુદું કરીએ છીએ. શું આપણે જે વિચારીએ છીએ તે કેટલીક બાબતો હંમેશા કરીએ છીએ કે પછી જેમ દિવસ જાય તેમ વિચારો બદલાય છે? એવું બને છે કે સવારમાં આપણે વિચાર કરીએ, આયોજન કરીએ અને નક્કી કરીએ કે આ કરવું છે પણ દિવસના અંતે તો કંઈ જુદું જ કર્યું હોય છે. ક્યારેય વિચાર્યું છે કે આમ કેમ થાય છે અને કેમ આપણે જે આયોજન કર્યું હોય તેવું જ કેમ નથી કરી શકતા? મોટે ભાગે એ કારણસર કે આપણા મનની કલ્પનાઓ કે આઇડિયાઝ મગજમાં સ્પષ્ટ નથી હોતા. બીજી બાજુ જો આઇડિયાઝ સ્પષ્ટ હોય તો એને અસરકારક રીતે ફોલો કરીને કરી શકાય. જ્યારે યોગની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે, ધીમે ધીમે વિચારોમાં સ્પષ્ટતા આવતી જાય છે. જ્યારે હું યોગની પ્રેક્ટિસ કરું છું ત્યારે જો હું ડિસ્ટર્બ હોઉં કે ગમગીની લાગતી હોય તો મારી પ્રેક્ટિસ દરમિયાન પૂછું છું કે આ શું છે, મારાથી કંઈ ખોટું થઈ ગયું છે? મને કેવી રીતે સારું લાગે, શું કરું તો હું ફરી ખુશ થાઉં? મારા વિચારો કેવી રીતે સુધારું કે જેથી મને સારું લાગે? અને અંદરથી-આત્મામાંથી- જવાબ મળે છે. મને ખાત્રી છે કે આપણા સૌની સાથે આ થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.


शलभासन करने की विधि :

  1. सर्वप्रथम पेट के बल लेट जाएँगे । 
  2. पैरो को पास रखेंगे और हाथों की मुत्ठियाँ बनाकर जांघों के नीचे रखेंगे। 
  3. अब दोनो पैरो को साँस लेते हुए उपर उठाइए ।
  4. धीरे से वापिस लाइए ।
  5. 5 बार इसी  तरह दोहरायें ।
  6. ध्यान रखिएगा पैरो को उपर ले जाते समय घुटने से सीधा रखेंगे।

शलभासन करने की साबधानियाँ :

हर्निया ,आँतों की गंभीर समस्या व हृदय रोगी इस अभ्यास को न करें।

शलभासन करने की लाभ :

  • मेरुदण्ड की निचली मासपेशयों को मजबूत कर रक्त संचार तेज करता है। 
  • शियॅटिका में बहुत लाभकारी है ।
  • हृदय को मजबूत बनाता है।
  • पेट के रोगों में भी लाभप्रद है।

Aasan

  • શલભાસન

    શલભાસન (Locust Pose) 
    આ આસન ભુજંગાસનનું પૂરક છે. ઘેરંડ સંહિતામાં શલભાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    अथ शलभासनम् ।
    अध्यास्यः शेते कर युग्मं वक्षे भूमिमवष्टभ्यकरयोस्तलाभ्याम् ।
    पादौ च शून्ये च वितस्तिचार्ध्यं वदन्ति पीठंशलभं मुनीन्द्राः ॥३८॥

    શલભ એટલે ટીકડું. જમીન પર ટીકડું બેઠું હોય ત્યારે તેનો પૂચ્છભાગ જેવી રીતે જમીનથી ઊંચો રહે છે તેવી રીતનો પગનો દેખાવ આ આસનમાં થતો હોઈ આને શલભાસન કહે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું એક હળવું રૂપ શોધાયું છે તેને અર્ધ  શલભાસન કહે છે. તે સહેલું હોઈ બધા જ કરી શકે છે. વળી થોડા દિવસ તેનો અભ્યાસ કરવાથી પૂર્ણ શલભાસન શીખવાનું સહેલું પડે છે. એટલે પહેલા અર્ધ શલભાસન અને પછી પૂર્ણ શલભાસન કરવાનું શીખીએ.
       

    આસનની રીત: 

    અર્ધ શલભાસન

    • સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો. પગના અંગૂઠા ખેંચેલા રાખો. નાક જમીન પર ટેકવવું, પરંતુ હોઠ અને તેની નીચેનો દાઢીનો ભાગ ટેકવવો વધારે અનુકૂળ રહેશે. 
    • હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો. પગની માંસપેશીઓ સખત(contract) રાખો જેથી ઢીંચણમાંથી પગ વળે નહીં. જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. પગ વધારે ઊંચો કરવાની ઈચ્છાથી શરીરને પડખાભેર કરી દેવું એ ખોટું છે. કમર પાસેના આગળના બંને અસ્થિઓ જમીનને લાગેલા રહેવા જોઈએ. પગ શક્ય હોય તેટલો ઊંચો કરી જરા સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો.
    • જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દઈએ એટલે અર્ધ શલભાસન થયું. શરૂઆતમાં આ રીતે આવર્તનો કરવાથી પૂર્ણ શલભાસન કરવામાં આસાની રહેશે. 


    પૂર્ણશલભાસન: 

    • ઉપર દર્શાવ્યા પ્રમાણે ઊંધા સૂઈ જાવ. શાંતિથી ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરીને રોકો. 
    • હવે ભુજંગાસનની માફક માથું અને છાતીને અધ્ધર કરો. સાથે સાથે અર્ધશલભાસનમાં કર્યું તે પ્રમાણે બંને પગને ઊંચા કરવાના છે. શરીરને સખત રાખવાનું છે, અર્થાત્ પગ ઘુંટણથી વાળવાના નથી. બાજુ પર મુઠ્ઠી વાળી લંબાવેલા હાથ અને છાતી પર બધો ભાર પડે તેવી રીતે હાથ અને છાતીનો આધાર લેવાનો છે, અને કમરની માંસપેશીઓના બળથી બંને પગ એક સાથે ઊંચકવાના છે. આ બધું શ્વાસ લેતાની સાથે એક સાથે કરવાનું છે.
    • આ સમયે પગના અંગૂઠાથી બસ્તિ સુધીનો પ્રદેશ સીધી લીટીમાં રહેશે. માથું અને છાતીનો પ્રદેશ ઉંચકાયેલો હશે. તથા શરીર માત્ર હાથ અને પેટના આધારે તોળાયેલું રહેશે. 
    • સહેલાઈથી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી બંને પગ અધ્ધર રાખવાના છે. જ્યારે એમ લાગે કે હવે વધારે વાર સહેલાઈથી શ્વાસ રોકી નહીં શકાય ત્યારે શરીરના સ્નાયુઓ ઢીલા કરી બંને પગ નીચે ઉતારી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે. પછી શ્વાસને શાંતિપૂર્વક બહાર કાઢવાનો છે. 
    • થોડાક શ્વાસોચ્છવાસ લઈ શ્વસનક્રિયા સમધારણ થવા દેવી અને ફરીથી કરવું. આ આસનમાં ફેફસા ઉપર તાણ પડતું હોઈ શક્તિનો ખ્યાલ રાખી સંખ્યા કે આવર્તનો નક્કી કરવા. કુંભકનો અભ્યાસ દૃઢ થયા પછી વીસ સેકંડથી વધારીને લગભગ એક મિનીટનું એક એમ ત્રણ આવર્તન સુધી વધવું.
    • આ આસન થોડા સુધારાવધારા સાથે પણ કરાય છે. એક પદ્ધતિમાં હાથને શરીરની બાજુમાં પગ તરફ લંબાવી, પંજા ચત્તા રાખી મુઠ્ઠીઓ વાળવામાં આવે છે. અને આસનની સ્થિતિમાં શરીરનું વજન છાતી અને મુઠ્ઠીઓ પર રખાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં Hip Bones જમીનને ન અડકતાં હાથની ઉપર રહે તે રીતે હાથના પંજાઓ સાથળ નીચે રાખવામાં આવે છે. એક અન્ય પધ્ધતિમાં દાઢી જમીનને અડકાડેલી રાખવામાં આવે છે.


    ફાયદા:

    • આ આસન ભુજંગાસનનું પૂરક છે. ભુજંગાસનમાં કરોડનો ઉપરનો ભાગ અને શલભાસનમાં કરોડનો નીચલો ભાગ પાછળ વાળવામાં આવે છે તેથી કરોડની માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને બંધનોને (Ligoments) સામાન્ય રીતે ફાયદો કરે છે.
    • આ આસનથી શરીરના મોટાભાગના Extensor Muscles ની કાર્યશીલતા સુધરે છે. એડ્રીનલ ગ્રંથિઓમાંથી એડ્રીનલનો સ્ત્રાવ થઈ લોહીમાં ભળી હૃદય, પાચક રસો, શ્વાસોશ્વાસની ક્રિયા અને આંતરડાની ગતિને સુધારી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. 
    • Interabdominal Pressure વધવાથી કબજિયાત મટે છે. પેટના અવયવો અને વિશેષમાં લીવર અને યકૃતની સુધરે છે. મળવિસર્જનતંત્ર શક્તિશાળી બને છે. 
    • આ આસનમાં કુંભક કરી શ્વાસ રોકવાને લીધે Lung Tissues નું સંકોચન અને પ્રસરણ થાય છે. જેથી એ વધુ સ્થિતિસ્થાપક થાય છે. ફેફસાંના બધા Aircells ક્રિયાશીલ થાય છે. એમાં હવાનું દબાણ વધતાં ફેફસાં મજબૂત બને છે. 
    • Diaphragmને કસરત મળે છે. ઉદર, કમર અને નિતંબપ્રદેશના સ્નાયુઓ સબળ બને છે.
    • ઉદરગુહામાં આવેલ અને એની નીચેના ભાગમાં કરોડરજ્જૂના પ્રદેશમાં પુષ્કળ લોહીનો જથ્થો મળી રહેવાથી કરોડ સ્થિતિસ્થાપક અને મજબૂત થાય છે.
    • સામાન્યતઃ શ્વાસ લેતી વખતે ઉરોદરપટલ સ્નાયુઓ નીચે તરફ જાય છે પરંતુ શલભાસનમાં શરીરનું વજન પેટ પર હોવાથી ઉદરની દિવાલ આગળ જઈ શકતી નથી. એથી Inter abdominal Pressure વધે છે. જેથી ફેફસાંને શ્વાસ લઈ વિકસવાની તક મળે છે. જે શ્વસનતંત્ર અને હૃદય માટે વિશેષ લાભદાયક બને છે. ખાસ કરી હૃદયના સ્નાયુઓ Cardiac Muscles સુદૃઢ બને છે. 
    • વાત અને પિત્ત પ્રકૃતિવાળા માટે શલભાસન ખાસ હિતકર છે. જમ્યા પછી થતા પેટના દુખાવાને (Elatulence) મટાડે છે.


    સાવધાની 

    • નબળા ફેફસાંવાળાએ કે સારણગાંઠ હોય તેણે આ આસન ન કરવું.
    • શ્વાસ વધારે પડતો રોકી રાખીને શલભાસન ન કરવું.
       

Comments

Anand Wed, 21/Apr/2021 - 16:12

शलभासन योग करते समय शरीर का आकार शलभ (Locust) कीट की तरह होने से, इसे शलभासन(Locust Pose) कहा जाता हैं। कमर और पीठ के मजबूत करता है और पाचन क्रिया को सुधारता है। शलभासन करने की प्रक्रिया और लाभ नीचे दिए गए हैं :

शलभासन करने की प्रक्रिया

साँसअंदर लेते हुए अपना दायाँ पैर उठाएँ। पैर को सीधा रखें। ध्यान दे कि कूल्हे पर झटका न आये।
रोकें (स्थिति को बनाये रखें) और साँस लेते रहे।
साँस छोड़ें और अपने दाएँ पैर को नीचे रखें।
प्रक्रिया अपने बाएँ पैर के साथ दोहराएँ। २-३ गहरी लंबी साँसे लें।
दोनों हाथों की मुठ्ठी बनाकर अपने जंघा के नीचे रख दे।
साँस अंदर लेते हुए और दोनों घुटनों को सीधा रखते हुए, कुछ गति के साथ दोनों पैरों को जितना हो सकता है उतना उपर उठाएँ।
रोकें (स्तिथि को बनाये रखें)
साँस छोड़े, अपने दोनों पैरों को नीचे लाएँ, दोनों हाथों को नीचे से हटा लें और विश्राम करें।
दूसरे कदम पर हाथों को नीचे रखते हुए पूर्ण प्रक्रिया दोबारा से दोहराएँ।

शलभासन करने के लाभ

यह आसन पीठ की मज़बूती व लचीलापन बढ़ाता है।
हाथों और कन्धों की मज़बूती बढ़ाता है।
गर्दन और कन्धों कि नसों को आराम देता है व मज़बूत बनाता है।
पाचन क्रिया को सुधारता है व पेट के अंगो को मज़बूत बनाता है।