Skip to main content

સર્વાંગાસન

सर्वांगासन

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

Anchor

આસન કરવાની રીત

ચત્તા સુઈને બંને હાથ બાજુ પર અને બંને પગ પુરેપુરા લંબાવેલા અને સાથે રાખો. બંને પગ સીધા સાથે જ રાખી જમીનથી ૩૦ અંશના ખુણા સુધી ઉંચા કરો, પછી ૬૦ અંશને ખુણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખુણે બંને પગ રાખો. બંને હાથ કમર પર મુકી ટેકો આપીને ધડ અને પગ એક સીધી રેખામાં આવે ત્યાં સુધી શરીરને ઉઠાવો. આખા શરીરનું વજન ગરદનનો પાછલો ભાગ, બંને ખભાનો પાછલો ભાગ તથા ખભાથી કોણી સુધીના બંને હાથ પર વહેંચાઈ જશે. હવે બંને હાથ વડે પીઠ પર દબાણ કરી, દાઢીને ગળા પાસે છાતીમાં જે ત્રીકોણાકાર ખાડો, કંઠકુપ છે તેમાં દબાવો. આ રીતે દાઢીને દબાવી રાખવાની ક્રીયાને જાલંધર બંધ કહે છે.

 

આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. હું સામાન્ય રીતે આ આસન ૬ મીનીટ સુધી કરું છું. આ આસન શરુઆતમાં ત્રીસ સેકંડથી શરુ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હીતાવહ છે. આસન છોડતી વખતે ઉલટો ક્રમ લેવો. બંને હાથ જમીન પર ટેકવી કમરને નીચે લાવી બંને પગ ક્રમશઃ પ્રથમ ૯૦°ના ખુણે, પછી ૬૦° અને ૩૦°ના ખુણે અટકીને જમીન પર લાવવા. એમાં ઉતાવળ કરવી નહીં, એટલે કે શરીરને ઝટકો લાગવો ન જોઈએ.

સર્વાંગાસન કર્યા પછી એનાથી વીપરીત એવું મત્સ્યાસન કરવું અગત્યનું છે.

 

ફાયદા

શીર્ષાસનના લગભગ બધાજ લાભ આ આસનમાં પણ મળે જ છે. વળી જે લોકો શીર્ષાસન સીદ્ધ ન કરી શકે તેઓને પણ સર્વાંગાસન કરવામાં મુશ્કેલી ભાગ્યે જ પડે. ઉપરાંત પહેલાં કહ્યું છે તેમ એનાથી થાઈરોઈડ ગ્રંથી વધુ પ્રભાવીત થાય છે, જે લાભ શીર્ષાસન વડે નથી મેળવી શકાતો. આમ શીર્ષાસન ન કરી શકનારાઓએ સર્વાંગાસન નીયમીત કરવું જોઈએ.

શીર્ષાસનની જેમ આ આસનથી યાદશક્તી વધે છે. માનસીક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વીદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે. આ આસનમાં ગરદન આગળ દબાણ આવતું હોવાથી ત્યાંના જ્ઞાનતંતુઓને લોહીનો વધુ પુરવઠો મળે છે, રુધીરાભીસરણને વધારે ગતીમાન કરે છે, આથી એ જ્ઞાનતંતુઓ સબળ બને છે.

આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. આ આસન ગળાની ગ્રંથીઓને અસર પહોંચાડીને વજન ઓછું કરવામાં મદદરુપ બને છે.

સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નીયમીત અભ્યાસથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. મુખ ઉપરના ખીલ અને ડાઘા દુર થઈ ચહેરો તેજસ્વી બને છે. મંદાગ્ની, અજીર્ણ, કબજીયાત, થાઈરોઈડનો અધુરો વીકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ(હર્નીયા), અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવીકાર, સ્ત્રીઓનાં દર્દો જેવાં કે માસીકની અનીયમીતતા, માસીકનો દુખાવો, કષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.

આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે.

સાવધાની :

આસન દરમીયાન માથું જમીન પરથી ઉંચકવું નહીં.

આસન દરમીયાન પગ સીધા અને જોડાયેલા રાખવા.

ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું. થાઈરોઈડની વૃદ્ધીવાળાં, ખુબ જ નબળા હૃદયવાળાં તથા અતીશય મેદવાળાં લોકોએ આ આસન અનુભવીના માર્ગદર્શન વીના કરવું નહીં.

આગળ જણાવ્યું છે તેમ જેટલો સમય સર્વાંગાસન કર્યું હોય તેનાથી અડધો સમય શવાસન કરવું. ત્યાર બાદ મત્સ્યાસન કરવું.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ


सर्वांगासन करने की विधि-

  • सर्वप्रथम सीधे पीठ के बल लेट जायें । 
  • दोनो हाथों को शरीर के बराबर,हथेलियाँ ज़मीन पर ,
  • अब दोनो पैरो को 30 डिग्री पर उठाइए, हाथों को कमर पर रख कर सहारा दीजिए और दोनो पैरो को 90 डिग्री के कोण बनाते हुए सीधा कर लीजिए । 
  • कोहनियाँ फर्श पर लगी रहेंगी ।  
  • ठुड्डी को सीने से सटा लीजिए।
  • कुछ देर इसी स्थिति में (5-10 सेकेंड ) रुकिये। 
  • बहुत धीरे से वापिस आइए ।

 अब आराम के लिए सीधे शवासन मे  आ जाइए।
 

सर्वांगासन करने की सावधानियाँ- 

  • कमर दर्द, गर्दन दर्द ,हृदय रोगी, हाई बीपी  व स्लिप डिस्क के रोगी न करें।

सर्वांगासन करने की लाभ-

  • जैसा की इस आसन का नाम है सर्वांगसन -यह पूरे शरीर अर्थात सभी अंगों को स्वस्थ रखता हैं ।
  • पाचन तंत्र को मजबूत करता है। पैरो की मासपेशयों  में रक्त संचार तेज करता है ।
  • मस्तिष्क व  बालों में भी रक्त संचार तेज करता है ।
  • महिलाओं की मासिक गड़बड़ी को ठीक करता है।

Aasan

  • સર્વાંગાસન

    સર્વાંગાસન (Shoulder Stand) 

    શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે. એ પરથી આ આસનનું મહત્વ અને એનાથી થતા લાભોની અગત્ય સમજાશે. આપણા શરીરમાં ગળામાં હડિયા પાછળ અત્યંત મહત્વની કંઠસ્થગ્રંથિ(Thyroid Gland) આવેલી છે. તેની ઉપર શરીર અને તેના તંત્રોની તંદુરસ્તીનો મોટો આધાર છે. આ આસન તે ગ્રંથિને તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે અને તે દ્વારા દેહનાં સર્વ અંગો-સર્વ તંત્રોને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખે છે તેથી આ આસનને સર્વાંગાસન કહેવાય છે.

    આસનની રીત

    1. •    સૌપ્રથમ ચત્તા સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર અને બંને પગ પૂરા લંબાવેલા રાખો.
    2. •    બંને પગ જોડાજોડ સીધા રાખી જમીનથી ૩૦ અંશને ખૂણે ઊંચકો, પછી ૬૦ અંશને ખૂણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખૂણે બંને પગ ઊભા કરો. 
    3. •    બંને પગને મસ્તક તરફ સહેજ નમાવો. હવે થાપાનો ભાગ કમર સુધી ઊઠાવી બંને પગને આકાશ તરફ ઊંચા કરો. સહેલાઈથી ન થઈ શકે તો આ વખતે બંને હાથનો બંને નિતંબની પડખે ટેકો આપો.
    4. •    ત્યાર પછી બંને હાથને આધારે શરીરનો ભાર ટેકવી, કમરને હાથના પંજા ઉપર ટેકવી કેવળ ખભો તથા માથું જ જમીન પર રહે તેમ બરડાને ધીરે ધીરે ઊંચો લઈ જઈ, શરીરને સરળ ઊભી લીટીમાં લાવો. 
    5. •    આ સમયે હાથેથી બંને પીઠ પડખે દબાણ કરી, છાતી દાઢી સાથે બરાબર દબાવો. આ સ્થિતિમાં ધડ તથા પગ એક સીધી રેખામાં આવે અને જમીન સાથે કાટખૂણે ઊભા રહે એમ થશે. હડપચીનો ભાગ કંઠકૂપ ઉપર દબાયેલો રહે તે અગત્યનું છે. ગરદનનો પાછળનો બધો ભાગ પણ જમીન સાથે લાગેલો રહેવો જોઈએ. 
    6. •    આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહો. આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. અન્ય આસનોની માફક આ આસન પણ શરૂઆતમાં ત્રીસ સેકંડથી શરૂ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હિતાવહ છે. 
    7. •    નિયત સમય સુધી આસન રાખી ઊલટા ક્રમથી ધીમેથી આસન છોડવું. આંખો બંધ કરી કંઠસ્થ ગ્રંથિ પર મનને સ્થિર કરવું તેમ જ શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.

    ફાયદા

    1. •    ધીમે ધીમે આસનનો સમય વધારતા રહેવાથી વળિયાં અને પળિયાં દૂર થાય છે. રસાયણ સમાન આ આસનના અભ્યાસથી અમૃતપાનની જેમ શરીરસામર્થ્યની વૃદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. અને ચિરયૌવનની પ્રાપ્તિ થાય છે. હઠયોગીઓના મત મુજબ પ્રતિદિન પ્રહરમાત્ર અભ્યાસ કરતા રહેવાથી સાધક મૃત્યુને જીતે છે. 
    2. •    શરીરને ઊભી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાથી પેટની અંદરના અવયવો સતત દબાણમાં રહે છે. સર્વાંગાસનમાં શરીરને ઊલટું કરાતું હોઈને અવયવો તાણ કે દબાણથી મુક્ત થાય. જેથી આ આસન નીચે ઊતરી ગયેલાં આંતરડાં, હોજરી વગેરેને યથાસ્થાને લાવવામાં અસરકારક છે.
    3. •    આ આસનથી યાદશક્તિ એટલે કે મેધાશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
    4. •    ગરદનના અંકોડામાંથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ ને સબળ બનાવે છે. કંઠસ્થ ગ્રંથિ (Thyroid Gland) ને નીરોગી અને સબળ બનાવી શરીરના સર્વ અંગોને-તંત્રોને કાર્યક્ષમ અને તંદુરસ્ત બનાવે.
    5. •    રુધિરાભિસરણને વધારે ગતિમાન કરે. જેની રક્તવાહિનીઓ અશુદ્ધ થઈ નબળી થઈ ગઈ હોય તેને રક્તાભિસરણ ભારે મદદરૂપ બને.
    6. •    વીર્યની ગતિ ઉર્ધ્વ થાય છે. જેથી આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિ (sex gland)ને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.
    7. •    યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નિત્ય અભ્યાસક્રમથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. 
    8. •    મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.
    9. •    મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઈરોઈડનો અધૂરો વિકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ, અંગવિકાર, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવિકાર, સ્ત્રીઓના દર્દો જેવાં કે માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો, નષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.
    10. •    આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે. અને પોતાના યોગના અભ્યાસક્રમમાં દરેકે તેનો સમાવેશ કરવો જોઈએ.

    સાવધાની 

    1. •    ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
    2. •    થોઈરોઈડના અતિવિકાસવાળા, ખૂબ જ નબળા હૃદયવાળા તથા અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
       

     

Comments

Anand Wed, 21/Apr/2021 - 16:15

सर्वांगासन का अर्थ होता है सर्व अंग और आसन जो पूरा मिलकर बनता है सर्वांगासन| यह संस्कृत का शब्द है जिसमें सर्व = पूरा अंग अथार्त सरीर क्र अंग और आसन = बैठने की मुद्रा होता है | इस आसन को करने से सभी अंगों को व्यायाम मिलता है इसीलिए इसे सर्वांगासन कहते हैं। तथा पूरे सरीर को मजबूत करता है | अंग्रेजी भाषा में इस आसन को Shoulder Stand Pose के नाम से जाना जाता है। इसको करने से हमारी कई बीमारियाँ ठीक हो जाती है जैसे मोटापा, सुगर, घुटनों. की बीमारी इत्यादि |

सर्वांगासन की विधि :-
पहली स्थिति – सबसे पहले पीठ के बल सीधा लेट जाएँ। पैर मिले हुए, हाथों को दोनों ओर बगल में सटाकर हथेलियाँ जमीन की ओर करके रखें |

दूसरी स्थिति – अब अपने दोनों पैरों को सांस लेते हुए आराम-आराम से बिना मोड़े उपर की तरफ उठाएं। और साथ ही कमर को भी उपर की तरफ उठाएं।


 
तीसरी स्थिति :- अब अपने दोनों पैरों को 90 डिग्री तक उठायें ये फिर ऊपर लें जाएँ|


 
चौथी स्थिति :- 90 डिग्री तक पैरों को न उठा पाएँ तो 120 डिग्री पर पैर ले जाकर व हाथों को उठाकर कमर के पीछे लगाएँ।

पांचवी स्थिति :- यह योग करते समय मुख उपर आकाश की तरफ होना चाहिए। और कुहनियां जमीन से टिकी हुई हों।

छटवी स्थिति :- 30-40 सेकंड या उससे अधिक के लिए मुद्रा को बनाए रखने के लिए प्रयास करें।

सातवी स्थिति:- वापस पहले जैसे अवस्था मैं आते समय पैरों को सीधा रखते हुए पीछे की ओर थोड़ा झुकाएँ। दोनों हाथों को कमर से हटाकर भूमि पर सीधा कर दें। अब हथेलियों से भूमि को दबाते हुए जिस क्रम से उठे थे उसी क्रम से धीरे-धीरे पहले पीठ और फिर पैरों को भूमि पर सीधा करें। इस तरह से आप 5-7 चक्र करें।

सर्वांगासन करने का समय :-
इसका अभ्यास हर रोज़ करेंगे तो आपको अच्छे परिणाम मिलेंगे। सुबह के समय और शाम के समय खाली पेट इस आसन का अभ्यास करना अधिक फलदायी होता हैं।सर्वांगासन कम से कम 5 मं तक करना चाहिए| और सुबह-सुबह खाली पेट करें|एक से पांच मिनट तक का एक सेट और कुल ऐसे दो से तीन सेट करें

सर्वांगासन के लाभ ( sarvangasana benefits ):-
1. थायरोइड समस्या से पीड़ित व्यक्ति के लिए :– थायरोइड समस्या से पीड़ित व्यक्ति को लाभ मिलता है और साथ ही आसन थाइरोइड ग्रंथि को गतिशील बनाता है। हाइपोथायराइडिज्म (Hypothyroidism) ऐसी मेडिकल कंडीशन है जिसमें थायराइड ग्रंथि में थायराइड हार्मोन कम मात्रा में बनने लगता है। भारत में करोडों लोग हाइपोथायराइडिज्म से ग्रस्त हैं।

2. पाचन क्रिया में फायदेमंद :- यह आसन पाचन क्रिया को ठीक रखने मैं मदद करता है ।अगर हमारी पाचन क्रिया ठीक है तो पेट संबंधी सभी रोगों से छुटकारा पाया जा सकता है क्यूंकि हमारी ज्यादातर बीमारियाँ पेट से ही उत्पन्न होती हैं |और हम बीमारियों से बच सकते हैं|

3. शरीर मजबूत बनता है:- इस आसन के अभ्यास से शरीर मजबूत बनता है| हमारे शरीर को विटामिन, प्रोटीन और कार्बोहाइड्रेट ही नहीं, थोड़ी मात्रा में ही सही, खनिज तत्वों की भी जरूरत पड़ती है। आयरन यानी लोहा ऐसा ही खनिज है, जिसके बिना शरीर का काम नहीं चलता। और ये सभी चींजें इस आसन में उपलब्ध होती हैं।

4. कब्ज व् एसिडिटी में फायदेमंद :- इस आसन के नियमित अभ्यास से कब्ज व् एसिडिटी से मुक्ति पायी जा सकती है। कब्ज, पाचन तंत्र की उस स्थिति को कहते हैं जिसमें कोई व्यक्ति (या जानवर) का मल बहुत कड़ा हो जाता है तथा मलत्याग में कठिनाई होती है। कब्ज अमाशय की स्वाभाविक परिवर्तन की वह अवस्था है, जिसमें मल निष्कासन की मात्रा कम हो जाती है।

5. उच्च रक्तचाप में फायदेमंद :- उच्च रक्तचाप को के रोगियों के लिए सर्वांगासन बहुत ही उपयोगी हैं।हाइपरटेंशन या उच्च रक्तचाप, जिसे कभी कभी धमनी उच्च रक्तचाप भी कहते हैं, एक पुरानी चिकित्सीय स्थिति है जिसमें धमनियों में रक्त का दबाव बढ़ जाता है।-

6. बौद्धिक क्षमता बढती है:- जिन बच्चों की बुध्धि में विकास नही होता ही उन्हें यह आसन नियमित रूप से करना चाहिए। क्यूंकि ये बौद्धिक क्षमता बढ़ाने में मदद करता है। इंसान की बौद्धिक क्षमता के स्तर पर जीनों का प्रभाव पड़ता है।
7. स्वास्थ्य फिट रहता है:- इस आसन के अभ्यास से पूरा शरीर फिट और active रहता है और व्यक्ति काम से थकता भी नही है। स्वास्थ्य का अर्थ विभिन्न लोगों के लिए अलग-अलग होता है। लेकिन अगर हम एक सार्वभौमिक दृष्टिकोण की बात करें तो अपने आपको स्वस्थ कहने का यह अर्थ होता है कि हम अपने जीवन में आनेवाली सभी सामाजिक, शारीरिक और भावनात्मक चुनौतियों का प्रबंधन करने में सफलतापूर्वक सक्षम हों।

8. मनोविकार दूर होतें हैं:- इस आसन के अभ्यास से सभी प्रकार के मनोविकार दूर होते हैं। इसलिए इस आसन का अभ्यस प्रतिदिन करना चाहिए। मनोविकार (Mental disorder) किसी व्यक्ति के मानसिक स्वास्थ्य की वह स्थिति है जिसे किसी स्वस्थ व्यक्ति से तुलना करने पर ‘सामान्य’ नहीं कहा जाता। स्वस्थ व्यक्तियों की तुलना में मनोरोगों से ग्रस्त व्यक्तियों का व्यवहार असामान्‍य अथवा दुरनुकूली (मैल एडेप्टिव) निर्धारित किया जाता है और जिसमें महत्‍वपूर्ण व्‍यथा अथवा असमर्थता अन्‍तर्ग्रस्‍त होती है। इन्हें मनोरोग, मानसिक रोग, मानसिक बीमारी अथवा मानसिक विकार भी कहते हैं।

9. चेहरे की झुर्रियां में फायदेमंद:- इस आसन के अभ्यास से चेहरे की झुर्रियां खत्म होकर चेहरा तरो ताजा दिखने लगता है झुर्रियां आना मतलब बुढ़ापे की दस्तक। हालांकि झुर्रियां आना बायोलॉजिकल प्रोसेस है लेकिन आजकल त्वचा की सही देखभाल न होने पर समय से पहले ही झुर्रियां नज़र आने लगती हैं। या फिर प्रदूषण, तनाव, गलत खानपान और जीवनशैली की समस्याओं का भी नतीजा हो सकती हैं।